Friday, May 4, 2012


ગુ.મા શિક્ષક સંઘ તથા બનાસકાંઠા શિક્ષક સંઘ તથા અન્ય જિલ્લા શિક્ષક સંઘની રજૂઆતને અંતે ફાજલ થતા શિક્ષકોને સમાવવા સરકારશ્રીએ સારસ્વત મિત્રો તરફી રેશિયા અંતર્ગત પરિપત્ર કરેલ છે.જે નીચેની લિંક પર ક્લીક કરવાથી ખુલશે. વધુમાં આ પરિપત્ર તાત્કાલિક પહોંચાડવા તથા પરિપત્રમાં સમાવિષ્ટ માંગણીઓ માટે  શ્રી ઈલિયાસભાઈ  સિંધી મોબાઈલ - ૯૪૨૮૬૫૪૨૦૧ ( પ્રમુખશ્રી- બનાસકાંઠા જિલા માધ્ય.શિક્ષક સંઘ ) નો ખૂબજ સહકાર મળેલ છે.
ખાસનોંધ - પરિપત્રનું પ્રથમ પેઈઝ ઉલટું સ્કેન થયેલ છે તેથી Tools menu માં જઈ Rotate clockwise option  પર જઈ ક્લીક કરવાથી પેઈઝ સીધું જોઈ શકાશે.ફરી પેઈઝ આ રીતે પ્રોસેસ કરવાથી સીધુ કરી શકાશે. 

ફાજલ અંતર્ગત રેશિયાનો લેટેસ્ટ પરિપત્ર 

ઠરાવની મુખ્ય હાઈલાઈટ્સ -  
1.  ધોરણ 9 અને 10 નો એક એક વર્ગ હોય ત્યાં જ  બે નો રેશિયો. બાકીની જગ્યાએ યથાવત સ્થિતિ. એટલેકે 1.5 નો જ રેશિયો. 
2. સમાવેશ ન થતા અને ફાજલ જ રહેતા  કર્મચારીને ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગના ધોરણ - 8 માં સમાવેશ કરવામાં આવશે. પ્રાથમિકમાં સીધી ભરતી બંધ રહેશે. 
3. ફાજલ થતા કર્મચારી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક તરીકેની લાયકાત ધરાવતા હોય અથવા માધ્યમિક શિક્ષક તરીકેનો 7 વર્ષનો અનુભવ હોય તેમનો ઉચ્ચતરમાં ખાલી જગ્યા હોય તો સમાવેશ કરી શકાશે. 
4. ચિત્ર/સંગીત/ઉધોગ વિષય વાળા શિક્ષકોનો સમાવેશ કારકુન કે ગ્રંથપાલમાં કરી શકાશે. 


સર્વ શિક્ષા અભિયાન જાહેરાત ( અરજી કરવા અહિ ક્લીક કરો )